વાહન કર નહીં ભરનાર ૧૦ કાર મહાપાલિકાએ જપ્ત કરી

1636

ભાવનગર  મહાપાલિકાની હદમાં આવતા રસ્તા પર અવર-જવર કરતાં વાહનોના વાહનધારકોએ મહાપાલિકાનો આજીવન વાહનકર ભરવો ફરજીયાત છે. વાહનકર સમયસર નહીં ભરનાર ૧૦ ફોર વ્હીલર ધારકોના વાહનો આજરોજ ભાવનગર મહાપાલિકાના વાહનકર વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે. જેમાં બીએમડબલ્યુ, ફોરર્ચુનર, ફોર્ડ, એસ્ટીમ, સ્પાર્ક વગેરેનો સમાવેશ થાય છે. જપ્તી બાદ પણ વાહનકર નહિ ભરનારનું વાહન વેચીને પણ કર વસુલવામાં આવશે. આ જપ્તીની કાર્યવાહી વિભાગ દ્વારા દૈનિક ધોરણે હાથ ધરવામાં આવનાર છે. આથી તમામ વાહન ધારકોને વાહનકર વહેલામાં વહેલી તકે ભરપાઈ કરવાનો તથા જપ્તીની કડક કાર્યવાહીથી બચવાનો ભાવનગર મહાપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Previous articleસિહોર મોટાચોકમાં પરંપરાગત નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ
Next articleનાગરિક સહકારી બેંકના ચેરમેન પદે જીતુ ઉપાધ્યાયની સર્વાનુમતે વરણી