ગંગાજળીયા તળાવની સફાઈ શરૂ…

713

શહેરની મધ્યમાં આવેલા ગંગાજળીયા તળાવને કરોડો રૂપીયાનાં ખર્ચે રમણીય સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અને તળાવમાં પાણી ભરેલું છે. પરંતુ કોરોનાં મહામારીનાં કારણે છેલ્લા બે માસથી લોકો માટે પ્રવેશબંધ કરવામાં આવી હોય, અને સફાઈ પણ કરવામાં આવતી ન હોય તળાવનાં પાણીમાં ફરી વનસ્પતિ ગી નિકળી હતી જે અંગેનો અહેવાલ સૌરાષ્ટ્ર આસપાસે પ્રસિધ્ધ કરતા તંત્ર દ્વારા તળાવમાં ઉગી નિકળેલી વનસ્પતિ કાઢવા સહિત સફાઈ કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

Previous articleભાવનગરના ઈન્દિરાનગર વિસ્તારમાં ભરઉનાળે છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી ના મળતા લોકો પરેશાન
Next articleભાવનગરમાં ૧૦ સ્થળોએ વેક્સિનેશન શરૂ, સેન્ટરો પર યુવાનોની લાઈનો લાગી, વેક્સિન લેશો તો પરિવાર સુરક્ષિત રહેશેઃ નાગરિક