ભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા ૪ કેસ નોંધાયા, ૨ ડિસ્ચાર્જ

69

શહેરમાં ૮ અને ગ્રામ્યમાં ૦ દર્દીઓ મળી કુલ ૫ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, જ્યારે ભાવનગર શહેરમાં આજે ૪ કેસ નોંધાયા હતા, જેમાં ૩ પુરુષ અને ૧ સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો ન હતો, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૨ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.શહેરમાં ૮ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૦ દર્દી મળી કુલ ૮ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૫૦ કેસ પૈકી હાલ ૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયું છે.શહેરમાં કોરોના કેસ ઘટી જતા લોકો પણ જાણે કે કોરોનાનો ડર ખતમ થઈ ગયો હોય તેમ બેફામ રીતે વર્તન કરતા અને માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. હજુ પણ કોરોનાની ચોથી લહેર આવવાની બાકી છે ત્યારે તકેદારી રાખવી ખુબ જ જરૂરી છે.

Previous articleતણસા કન્યાશાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત વિવિધ વેશભૂષા, અભિનય, અને મહાપુરુષો ની ઝલક રજૂ કરાયેલ
Next articleઆત્મનિર્ભર ગુજરાત ગૌરવ એવોર્ડ મેળવી ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારતાં પાર્શ્વ ગાયક જયદેવ ગોસાઇ