જુમ્માની નમાઝ બાદના હિંસક પ્રદર્શન સામે કાર્યવાહી : દિલ્હી અને યુપી પોલીસ ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરીને આગળની જરુરી કાર્યવાહી કરશે
નવી દિલ્હી, તા.૧૨
દિલ્હીની જામા મસ્જિદ બહાર તથા યુપી સહિત દેશભરમાં અન્ય સ્થળો પર શુક્રવારે ભાજપમાંથી બરતરફ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા. આ દેખાવો દરમિયાન યુપીમાં ઉશ્કેરાયેલા લોકોએ પત્થરમારો કર્યો હતો, જેના વિરોધમાં પોલીસે કાર્યવાહી કરી છે. કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનારા ૩૦૦થી વધુ લોકો સામે પોલીસે પગલા ભર્યા છે જેમાં ઉત્તરપ્રદેશમાં ૩૦૦ કેસ નોંધાયા છે, જ્યારે દિલ્હીમાં ૨ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે રવિવારે કરેલા કાર્યવાહી બાદ જણાવ્યું છે. બે લોકોની સાંપ્રદાયિક સદ્ભાવનાને નુકશાન પહોંચાડવા તથા મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું દિલ્હીની જામા મસ્જિદ વિસ્તારની પોલીસે રવિવારે જણાવ્યું છે. જ્યારે ઉત્તરપ્રદેશની પોલીસે રાજ્યના અલગ-અલગ શહેરમાંથી ૩૦૦થી વધારે લોકોની તોફાન કરવા બદલ ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના ડ્ઢઝ્રઁએ જણાવ્યું કે, “શુક્રવારની નમાઝ દરમિયાન ૧૫૦૦ લોકો આવ્યા હતા, જેમાંથી શાંતિપૂર્વક નમાઝ અદા થયા પછી કેટલાક લોકો પોસ્ટર્સ લઈને અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ પછી લગભગ અન્ય લોકો પણ જોડાયા હતા અને આ સંખ્યા વધીને ૩૦૦ની આસાપાસ પહોંચી ગઈ હતી.” યુપીમાં શુક્રવારે તોફાન કરનારા અને પોલીસની સામે પત્થરમારો કરનારા સામે ૯ શહેરોમાં ૧૩ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સહરાનપુર અને પ્રયાગરાજમાં ૩-૩ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પોલીસે કરેલી કાર્યવાહીમાં કુલ ૩૦૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે પ્રયાગરાજમાંથી ૯૧ સહરાનપુરમાંથી ૭૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય હાથરસમાંથી ૫૧ અને આંબેડકર નગર તથા મુરાદાબાદમાંથી ૩૪-૩૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે લખીમપુર ખીરીમાં ફરિયાદ નોંધાઈ છે પરંતુ કોઈની ધરપકડ થઈ નથી. દિલ્હી પોલીસે વધુમાં જણાવ્યું કે, શુક્રવારની નમાઝ પછી મોટી સંખ્યામાં લોકો જાણીતી મસ્જિદના પગથિયા પર એકઠા થઈ ગયા હતા અને તેમના હાથમાં પોસ્ટર્સ હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. મસ્જિદની બહાર એકઠા થયેલા ટોળાએ મોહમ્મદ પયગંબર સામે નિવેદન કરનારા દિલ્હી ભાજપના મીડિયા યુનિટના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જિંદલ સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હીમાંથી શનિવારે રાત્રે ધરપકડ કરાયેલા બે લોકોની ઓળખ જામા મસ્જિદ વિસ્તારમાં રહેતા મોહમ્મદ નદીમ (૪૩) અને તુરકમ ગેટ વિસ્તારના રહેવાસી ફહીમ (૩૭)ની ધરપકડ કરવામાં આવી છે.દિલ્હીનના સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટના ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, જામા મસ્જિદ પર કરાયેલા વિરોધ પ્રદર્શનમાં ૈંઁઝ્રની કમલ ૧૫૩છ હેઠળ પાછલી રાત્રે (શનિવારે) બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.