શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્ય થી તા.24 ઓગષ્ટનાં રોજ ભાલ વિસ્તારનાં ગણેશગઢ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમા 215 ગ્રામજનોની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ કરવામા આવેલ.આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દવારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દવારા શાળાને 75 બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , શ્રી રમેશભાઈ પરમાર , શ્રી રેખાબહેન ભટ્ટ ,શ્રી નીર્મોહિબહેન ભટ્ટ, શ્રી દીપાબહેન જોષી તથા નિરમા લીમીટેડના એડ્મીન ઓફીસ નાં શ્રી યોગેશભાઈ રામાનુજ અને ગામનાં સરપંચશ્રી નાથાભાઈ તથા આચાર્ય શ્રી હિરેનભાઈની ઉપસ્થિતિ માં યોજવામાં આવેલ.. આ કાર્યક્રમનું સંકલન શ્રી હિનાબહેન ભટ્ટ શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતુ..
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર