રાજુલામાં જય માતાજી યુવા ગૃપ દ્વારા ચાલતો નવરાત્રિ મહોત્સવ

2074
guj28-9-2017-2.jpg

રાજુલામાં જય માતાજી યુવા ગૃપ દ્વારા નવરાત્રિ મહોત્સવ માત્ર મહિલા તેમજ બહેન-દિકરીઓ માટે ઉજવાઈ રહ્યો છે. તેમાં સોળે શણગાર સજી મહિલાઓ-યુવતીઓ ખેલૈયાને આશિર્વાદ આપવા ગરણી પાનસડા શક્તિ આશ્રમના જાગતિ જ્યોત માં વાલબાઈમાં પધાર્યા અને સાથે સાથે દેવાતભાઈ ખવડ સાથે ભરતભાઈ બોરીચા તેમજ ધમભાઈ બારોટના સંચાલનમાં નવરાત્રિ મહોત્સવ જામતો જ જાય છે અને દાતાઓ દ્વારા ખેલૈયાઓને ૧ થી ૭ નંબર સુધી ઈનામો ફાઈનલ તેમજ મેગા ફાઈનલમાં દર વર્ષની જેમ અપાઈ છે અને દરરોજ ઈનામો પ્રોત્સાહિત પણ અપાય છે. આ વર્ષે નર્મદા સિમેન્ટ બાબરકોટ જાફરાબાદ યુનિયના દિલીપકુમાર મિશ્રા તેમજ સાકરીયાભાઈ પધારી જય માતાજી યુવા ગ્રુપને પ્રોત્સાહિત ચેક સાહિત્યકાર ભરતભાઈ બોરીચાને આપેલ.

Previous articleદામનગર પંથકમાં વિકરાળ સ્વરૂપે વધી રહેલી ઝેરી વનસ્પતિનો નાશ કરવો જરૂરી
Next articleગોદરેજ એગ્રોવેટ લિમિટેડનો આઈપીઓ ૦૪ ઓક્ટો.એ ખુલશે, પ્રતિ ઈક્વિટી શેર માટે પ્રાઈસ બેન્ડ રૂ. ૪૫૦થી રૂ. ૪૬૦ રહેશે