આસો સુદ દશમ (વિજયા દશમીના દિવસે)રામેશ્વર મહાદેવનાં મંદિર દેસાઈનગર-૨ ખાતે વિશ્વ હિન્દુ પરીષદ પ્રેરીત દુર્ગાવાહીનીના બહેનો તથા રામેશ્વર મહાદેવના મહિલા મંડળના સહયોગથી મહિલાઓ દ્વારા શસ્ત્ર પુજન તથા ‘દુર્ગા સપ્તશતી’ ચંડીપાઠ તથા હવનના જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ ચંડીપાઠ તથા હવનનું આયોજન શ્વાનફલુ, ચીકન ગુનિયા અને ત્રાસવાદ જેવા રાક્ષસોથી મા દુર્ગા બચાવે, આપણા સૈનિકોને બળ આપે અને મા ભારતીને પરમવૈભવના શીખરે લઈ જઈએ એવા હેતુથી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં હિન્દુ ધર્મ અને રાષ્ટ્ર પ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.