કોલવડા ખાતે મેલડી માતાનો ૧૭ મો પાટોત્સવ ઉજવાયો

1003
gandhi2102017-2.jpg

કોલવડામાં રાજરાજેશ્વરી માતા મેલડીનો ભવ્ય ૧૭ મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. નવચંડી યજ્ઞનું આયોજન પણ સુખાકારી માટે કરવામાં આવ્યું હોવાનું માતાજીના પરમ ભક્ત અજીતસિંહ છત્રસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું. 
અજીતસિંહ વાઘેલા માતાજીના ભકતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં ભાવિક ભકતોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સવારથી નવચંડી યજ્ઞ શરૂ કરાયો હતો. 
જેમાં સાંજે ૪.૧પ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વખતે પણ આજુબાજુથી મોટી સંખ્યામાં ભકતો-ભુવાઓ અને લોકોએ યજ્ઞમાં ભાગ લીધો હતો.

Previous articleરાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે ગાંધીમિત્ર એવોડ્‌ર્સ-૨૦૧૭ એનાયત
Next articleમનપાએ આર એન્ડ બી પાસે છેવટે શહેરના આંતરિક રસ્તાનું કામ શરૂ કરાવ્યું