ગાંધીનગરની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીએ) કોલેજ દ્વારા ધો.૧૨ માં ઉતીર્ણ વિદ્યાર્થીઓ માટે ૨ મહિનાનો સર્ટીફીકેટ કોર્સ શરુ કરવામાં આવ્યો હતો. જેની બે બેચ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તૃતીય બેચ માટે વિદ્યાર્થીઓ એ ઉત્સાહ બતાવતા સંસ્થા દ્વારા દ્વિતીય બેચ ખુબ ટૂંકા સમય માં શરુ કરવા માં આવી જેમાં હાલ ૨૦ વિદ્યાર્થીઓ જોડાઈ ચુક્યા છે.તેમજ અનેક વિદ્યાર્થીઓએ જોડાવા માટેની ઉત્સુકતા દર્શાવી છે.
દ્વિતીય બેચના વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ આચાર્યશ્રી ડો.રમાકાંત પૃષ્ટિ સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો..તેઓએ વિદ્યાર્થીઓને સાંપ્રત સમયની માંગ મુજબનો સર્ટીફીકેટ કોર્સમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ સમગ્ર કોર્સ સફળતા પૂર્વક પૂર્ણ કરી એક્સપોર્ટ તેમજ ઇનપોર્ટ બાબતે તમામ પ્રોસીઝર અને ડોક્યુમેન્ટેનશન નું સંપૂર્ણ જ્ઞાન મેળવવા બદલ બિરદાવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ આ કોર્સમાં આવરી લેવામાં આવતા તમામ મુદ્દાઓ ને વિદ્યાર્થીઓએ મેળવેલ ઉત્કૃષ્ટ તાલીમ તેમના વ્યવસાયિક જીવનમાં તેનો ઉપયોગ કરે.તેવી શુભકામના પાઠવી હતી.પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટીનાં હેડ ડો.જયેશ તન્ના સાહેબ દ્વારા એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશનની મહત્તા બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. આ કોર્સમાં તાલીમ આપવા આવનાર તજજ્ઞ લોકોનો વિદ્યાર્થીઓ મહત્તમ લાભ ઉઠાવે તેમ તેઓએ જણાવ્યું હતું.આજના યુગમાં વિદ્યાર્થીઓ એ સ્કીલ ડેવલોપમેન્ટ ઉપર વધારે ભાર મુકવો જરૂરી બન્યો છે. ત્યારે મેનેજમેન્ટનો વિદ્યાર્થી સફળતા ત્યારેજ હાંસલ કરી શકે જયારે તેમનામાં ધંધાકીય કાર્યોના દરેક ક્ષેત્રે નિપુણતા કેળવેલ હોય. સાંપ્રત સમયમાં ભારતના અર્થતંત્રમાં ધરખમ ફેરફારો જણાઈ રહ્યાછે.તેમજ વિદેશ વ્યપાર નીતિ દ્વારા અર્થતંત્ર મજબુત કરવાના દેશના પ્રયાસોમાં અત્રેની કોલેજ દ્વારા એક્સપોર્ટ પ્રોસીઝર એન્ડ ડોક્યુમેન્ટેશનનો કોર્સ શરુ કર્યો. કારણકે આગામી દિવસોમાં એક્સપોર્ટ-ઇનપોર્ટ એક્ટીવીટી ને લગતા ધંધાકીય ક્ષેત્રના અલગ-અલગ કાર્યો માટેની નિપુણ અને જ્ઞાનકૌશલ્ય વર્ધક મેનપાવરની તાતી માંગ ઉભી થનાર છે.આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓની “કોન્પીટન્સી” ડેવલોપ થશે જે તેઓના નોકરી મેળવવા તેમજ ધંધાકીય એકમની સ્થાપના કરવામાં ખુબ ઉપયોગી સાબિત થશે. તજજ્ઞ વ્યખ્યાયતા દ્વારા ઉપરોક્ત ક્ષેત્રે કારકિર્દી ની ઉજવવળ તકો માટે તેમજ ઉપરોક્ત વિષય બાબતે ઊંડો અનુભવ ધરાવે છે. તેઓએ વિદ્યાર્થીઓ ને સંબોધતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ઉપરોક્ત ક્ષેત્ર માં કોલજ દ્વારા આપવા માં આવેલ ઉજ્જવળ તક નો સદુપયોગ કરે અને શ્રેષ્ઠ કારકિર્દી નું ઘડતર કરે. કાર્યક્રમ નું સંચાલન કોર્સ કોઓર્ડીનેટર ડો.આશિષ ભુવા દ્વારા કરવા માં આવ્યું હતું. અનુષ્કા તિવારી પ્રથમ ક્રમાંકે તેમજ કુંજ ત્રિવેદી દ્વિતીય,તૃતીય ક્રમાંકે યુગ ચાવડા રહ્યા હતા. તેઓએ તેમના અભિપ્રાય માં જણાવ્યું હતું. કે બીબીએ જેવી પ્રોફેશનલ ડીગ્રી સાથે ઉપરોક્ત કોર્સ કરવા થી વ્યવસાયિક જીવન માં નવી રાહ મળી જેના આધારે કારકિર્દી ની વિશાળ તકો નું સર્જન થશે. જયારેઅન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ વૈભવી વાઘેલા તેમજ સુરભી નીબાર્ક દ્વારા પણ પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે કોલેજ દ્વારા શરુ કરવા માં આવેલ કોર્સ થી અમેં જ્ઞાનવાર્ધિત થયા છીએ. જે અમારા માટે જીવનપર્યંત ઉપયોગી રહેશે. સમગ્ર સર્ટીફીકેટ કોર્સ બાબતે કોલેજ નાં આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ,પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટી નાં હેડ ડો.જયેશ તન્ના તેમજ ડો. આશિષ ભુવા દ્વારા સંપૂર્ણ જવાબદારી સંભાળવા માં આવી હતી.