ગાંધીનગર બાર એસોસીએશન દ્વારા બાર એસોસીએશનના કરણસિંહ વાઘેલા તથા શંકરસિંહ ગોહિલનું સન્માન એક સમારોહમાં કરવામાં આવ્યું હતું. ગુજરાતની ચૂંટણીમાં એજયુકીટીવ કમિટીના ચેરમેન કરણસિંહ વાઘેલા નિમાતા તથા રૂલ્સ કમિટીના ચેરમેન તરીકે શંકરસિંહ નિમાતા તેમનું સન્માન કરાયું હતું. પ્રમુખ લાલસિંહ ગોહીલે સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપરાંત સિનિયર એડવોકેટ અતુલભાઈ પંડયા સહિત પ્રવચન કર્યા હતા તેમજ અભિનંદન આપ્યા હતા. તેમજ બંન્ને વકીલો દ્વારા ગાંધીનગર બાર એસોસીએશનનો આભાર માની તેમની સાથે હોવાની વાત દહોરાવી હતી.