આજકાલ આપણે ઉંઘ આવતી નથી, માટે દવા લેવી પડે છે. જાગરણના બદલે ઉજાગરા જ થઈ રહ્યાં છે. ક્યાંક આપણી મિલ્કત ઉપર કે ક્યાંક આપણા માણસો પર ભરોસો નથી અને તેથી ઉંઘ આવતી નથી. આરામ મળે માટે કમાણી કરવા જઈએ છીએ પરંતુ કમાણી કરવામાં જ આરામ મળતો નથી. ઘણો ઘણો વિરોધાભાસ આપણી જીવનશૈલીમાં ભરેલો છે અને તેથી જ ઉંઘ આવતી નથીે. આ દ્રશ્ય જુઓ માલધારી ઝાડ નીચે મસ્તીની ઉંઘ લઈ રહેલ છે ને ? તેને ભરોસો છે, એક પણ બકરૂ ક્યાંય જવાનું નથી અને આથી જ ભરોસો એટલે જ આરામ…!