પદ્મશ્રી ડો.એમ.એચ. મહેતાના અધ્યક્ષ સ્થાને શિશુવિહાર બુધસભાના પ્રાંગણમાં જાહનવી નિરક્ષીર પુસ્તકનું વિમોચન કવ્ રાજેન્દ્ર શુકલના વરદ હસ્તે થયું. આ પ્રસંગે શ્રી ભાગીરથીબેન મહેતાની સ્મૃતિમાં પ્રાધ્યાપક ડો. ઉષાબેન ઉપાધ્યાયનું કવયિત્રી સન્માન યોજી તેમને રૂપિયા ૧૧,૦૦૦/-ના પુરસ્કાર અને ટ્રોફી એનાયત થયાં. ગુજરાત રાજયના પ્રથમ પંક્તિના કવિ વિનોદભાઈ જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ ર૪માં સન્માન સમારોહ સાથે પ્રધ્યાપક તખ્તસિંહજી પરમારની શતાબ્દી વંદના કરવામાં આવી.