વિશ્વ વંદનીય સંતવવભૂમત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ તારીખ ૫ વિસેમ્બર થી ૧૫ વિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામમનારાયણ નગરમાં ભવ્યતા અને દદવ્યતાથી ઉજવાશે. આ જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પ્રમુખસ્વામી મહારાજના ઉપકારોનું ઋણ ચૂકવવા અને તેઓનો જીવનસંદેશ સમાજના અનેક લોકો સુધી પ્રસરે તે માટે મદહલા સ્વયંસેવકો અને નાના-નાના બાળકો જન્મજયંતી મહોત્સવને સફળ બનાવવા માટે શ્રદ્ધા અને ખંતપૂવષક સેવાયજ્ઞમા જોિાયા છે. છેલ્લા બે મદહનાથી વવરાટ સ્વામમનારાયણ નગરમાં ૪૦૦થી અવધક સંતો અને ૪૦૦૦થી અવધક સ્વયંસેવકો ઉત્સાહથી દદવસ-રાત મહેનત કરી સેવામાં જોડાઈને મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. નાના બાળકોથી લઈને યુવાનો અને તમામ મદહલા હદરભક્તોનાં હદયમાં પ્રમુખસ્વામી મહારાજનો જન્મજયંતી મહોત્સવ ઉમંગ અને ઉત્સાહથી ઉજવવાની અનેરી અભભલાર્ા છે.આ જન્મજયંતી મહોત્સવમાં નાનાં બાળકો પોતાના અભ્યાસની સાથે સાથે ૫ થી ૬ કલાક સુધી ડ્રામા, નૃત્ય, પ્રદર્શનખંડ, વ્યસનમુવક્ત તેમજ સ્વયંસેવકોને પીરસવાની વગેરે જેવી સેવાઓમાં હોંશે-હોંશે જોડાઈ રહ્યા છે.
યુગ પુરૂષ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી ભવ્યાતીભવ્ય રીતે ઉજવવા માટે મદહલા સ્વયંસેવકો પણ થાક અને ઉંઘને ગોણ કરીને પોતાના ઘરની જવાબદારી નિભાવતા-નિભાવતા દેહની પરવા કર્યા સિવાય અનેકવિધ વિભાગોમાં સેવાઓ આપી રહ્યા છે. જેમાં રસોડા વિભાગમાં પીરસવાની સેવા, વાસમાં જવાની સેવા, ચુલા લીપણની સેવા, બાંધકામ વિભાગમાં ગ્રાઉન્ડ સફાઈ, રેતી ચાળવાની સેવા, મરચા અને કપાસ ઉતારવાની સેવા, ઇંટો ફેરવવાની સેવા, સ્વયંસેવક ઉતારામાં સફાઈની સેવા, યજ્ઞ શાળામાં ઈટો ગોઠવવાની સેવા, ડેકોરેશન વિભાગમાં મંદિરનું ડેકોરેશન, સ્ટેજનું ડેકોરેશન, લાઈટ એન્ડ સા.ન્ડ શોમાં લેન્૯ સ્કેપની સેવા, કલર કામની સેવા, કરલ કામની સેવા, ગોદડા સીવવાની સેવા જેવી અનેક પુરૂષ સમોવડી સેવાઓ કરીને ઉતકૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.
વિવિધ સેવા વિભાગોમાં થઈને કુલ ૧૮૦૦ મહિલાઓ, ર૭પ યુવતિઓ અને ૧૦૦ જેટલી બાલિકા કાર્યકરો સેવામાં જોડાયેલા છે. આ મહિલા સ્વયંસેવકો સવારના ૭થી રાતના ૧ર વાગ્યા સુધી સેવા કરી આ રીતે દિવસના ૧પ કલાક સેવા આપી પોતાની ગુરૂભક્તિ અદા કરી રહ્યા છે તથા ઘણા બધા મહિલા સ્વયંસેવકોઅ ખુબ જ સુખી – સંપન્ન પરિવારમાંથી આવતાં હોવા છતાં પણ નાનામાં નાની સેવા ખંતથી કરી રહ્યા છે.
મહોત્સવમાં સેવા આપતાં ઈલાબેન પટેલના અભિપ્રાય મુજબ પ્રમુખસ્વામી મહારાજે આપણા માટે જે કર્ય્ છે એનો આ સેવા દ્વારા ઋણ ચુકવવાનો અવસર છે, માટે એમના જન્મજયંતિ માટે દેહ ધસી નાખવો છે. રેખાબેન દલના મંતવ્ય મુબજ, કેવળ પ્રમુખસ્વામી મહારાજને રાજી કરવા માટે સેવા કરીએ છીએ.
આ મહોત્સ્વ મહિલાઓની અને બાળકોને અનેક કળા કાશૈલ્યને ખીલવી રહ્યો છે. જયારે તેઓ સેવા કરવા અહી પધારે ત્યારે વીશેષ આવડત ન હોવા છતાં અહીંથી પ્રાપ્ત થતા મેનેજમેન્ટ, ડ્રામા-ડાન્સ, ડેકોરેશન, જાહેરમાં બોલવાની કળા, કલર કામ કરવું વગેરે જેવી અનેક કળાઓ પ્રાપ્ત કરીને જાય છે.
પ.પુ. સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ એ ખરા અર્થમાં નારી ઉત્કર્ષ અને બાળક ઉત્કર્ષનો અદભૂત સમન્વય છે. સેવા દરમ્યાન અહીંથી મહિલાઓ અને ભારતની ભાવી પેઢી એવા બાળકો પારિવારિક એકતા, વડીલો પ્રત્યે આદ, દેશ માટે કંઈક કરી છુટવાની તમન્ના, ભગવાનમાં શ્રધ્ધા જેવા અનેક સદગુણો અને વિચારો ગ્રહણ કરી ઉન્નત જ ીવનની પ્રેરણા આપતા સંદેશાઓ અહીંથી પ્રાપ્ત કરી રહ્યા છે.