તારાપુર-વટામણ-બગોદરા હાઇવે સ્થિત સાબરમતી નદી પરના પુલને બંધ કરાયો

1180

તારાપુર વટામણ-બગોદરા હાઇવે પર સાબરમતી નદી પરનો પુલ જર્જરિત હોવાને કારણે બંધ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક માર્ગ તરીકે બગોદરાથી વાસદ જવા તથા પરત આવવા બગોદરા-ધોળકા-રામપુર-રઢુથી નેશનલ હાઇવે નં-૮ થઇ વાસદ, બગોદરાથી બોરસદ ધર્મજ તરફ જવા માટે તથા પરત આવવા માટે બગોદરા-ધોળકા ને.હા.નં.૮ માતર-સોજિત્રા-પેટલાદ થઇને ધર્મજ તેમજ બોરસદ આવી શકાશે.

બગોદરાથી તારાપુર ખંભાત તરફ જવા માટે તથા પરત આવવા માટે બગોદરા-ધોળકા-ને.હા.નં.૮ – માતર-સોજિત્રા-તારાપુર તેમજ ભાવનગર વટામણથી વાસદ તરફ જવા માટે વટામણથી ધોળકા-રામપુર-રઢુથી ને.હા.નં.૮ ઉપર થઇને વાસદ, ભાવનગર-વટામણથી તારાપુર-ખંભાત તરફ જવા માટે તથા પરત જવા માટે વટામણ-ધોળકા-ને.હા.નં.૮ માતર-સોજિત્રા-તારાપુર, જ્યારે ભાવનગર-વટામણથી બોરસદ-ધર્મજ તરફ જવા માટે તથા પરત આવવા માટે વટામણ-ધોળકા- ને.હા.નં૮-માતર-સોજિત્રા-પેટલાદથી ધર્મજ તેમજ બોરસદ જઇ શકાશે.

Previous articleનારદીપુર સ્વપ્નદર્શી પર્વના અંતિમ દિવસે  નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભૂતપૂર્વ વિધાર્થીઓ અને શિક્ષકોનું સંમલેન યોજાયું
Next articleસ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવાનું એક્સેલેટર બગડતા પ્રવાસીઓમાં રોષ, સિનિયર સિટિઝન્સને હાલાકી