સાવરકુંડલા માનવ મંદિરે સાજી થયેલી મુસ્લિમ દિકરીના ર૮મીએ નિકાહ પઢાવાશે

918

સાવરકુંડલા માનવ મંદિર ખાતે મનોદિવ્યાંગમાંથી સાજી થયેલ મુસ્લિમ દીકરીના માનવ મંદિર ખાતે થશે નિકાહ માનવતાના મસ્તક વિલ પીરે તરીકત દાદાબાપુની નિશ્રામાં સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિરમાં અત્યાર સુધીમાં ૫૮ જેટલી મનોદિવ્યાંગ દીકરીઓ સાજી થઈ કુદરત સહજ જીવનમાં પુનઃ સ્થાપિત થઈ પચાસથી વધુ મનોદિવ્યાંગ દીકરીઓ માનવ મંદિર ખાતે પૂજ્ય ભક્તિરામબાપુના સાનિધ્યમાં આશરો લઈ રહી છે અને માનવ મંદિરના મહંત ભક્તિરામ માનવ સેવા એજ માધવ સેવાને મૂર્તિમંત્ર બનાવી મનોદિવ્યાંગ મહિલાઓની વંદનીય સેવા કરી રહ્યા છે માનવ મંદિર પ્રકૃતિના ખોળે કુદરતનું અપાર સૌંદર્ય ધરાવતી નીરવ શાંતિનો અહેસાસ કરાવતી ઈશ્વરની સ્વંયમ હાજરીનો ભાસ કરાવતી સંસ્થા છે એટલે ત્યાં દિન પ્રતિદિન પર્યટકો પ્રવાસી સદગૃહસ્થીઓ પોતાના સારા નરહા તિથિ તહેવારો જન્મ લગ્ન દીનો ઉજવી મનોદિવ્યગો પર અવરીત વાત્સલ્ય વરસાવી રહ્યા છે અને માનવ મંદિર ખાતે મનોદિવ્યાંગ પર એક હિન્દી ફિલ્મ પણ ચિત્કાર નામથી તાજેતરમાં માનવ મંદિર ખાતે ફિલ્મવાય છે.

અત્યાર સુધીમાં અનેકો દીકરીઓ કુદરત સહજ જીવન તરફ સમાજમાં પુનઃ સ્થાપિત થઈ છે અને ત્રણેક દીકરી ઓ પૂજ્ય ભક્તિરામબાપુએ પરણાવી છે આગામી તા૨૮/૧/૨૦૧૯ ના રોજ સવારે ના દસ કલાકે મુમતાઝબાનુ કરીમભાઈ મીરના નિકાહ અનેકો જંગમી તીર્થંકર સમાં સંતો મહંતો સેવાભાવિની ઉપસ્થતીમાં યોજાશે પીરે તરીકત પૂજ્ય દાદાબાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે.  માનવ મંદિરની દીકરીના નિકાહ પ્રસંગે ડો વોરા લાઈફ કેર હોસ્પિટલ તરફથી કરિયાવર જાડેરી જાનને ભોજન કરાવશે વિમલભાઈ હરિયાણી આ માનવતાની મહેક પ્રસરાવતી શાદી ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે.

Previous articleરાજુલા નજીક ધાતરવડી નદીના પુલ પરથી પત્થર ભરેલો ટ્રક નીચે ખાબક્યો
Next articleદામનગર અક્ષરવાડીમાં બ્રહ્મોત્સવની ઉજવણી