પગપાળા જઈ રહેલા શ્રમિક યુવાનને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત

628
bvn14122017-8.jpg

શહેર નજીકના સીદસર-વરતેજ રોડ પર વહેલી સવારે પગપાળા જઈ રહેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, વરતેજ જીઆઈડીસીમાં મજુરી કામ કરતા અને મુળ ઝારખંડ લોહડકા ગામમાં રહેતા એકલખાન શબ્બીરખાન પઠાણ આજે વહેલી સવારે સીદસર-વરતેજ રોડ પગપાળા વરતેજ ખાતે જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી અડફેટે લેતા શ્રમિક એકલખાન પઠાણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના સંબંધી ઈરફાનખાન જુમાનખાન પઠાણે વરતેજ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleપંચ દશનામ અખાડાના થાનાપતિ બચુગીરીબાપુ બ્રહ્મલીન થયા
Next articleપરદેશી પંખી ઘવાયું : જીવદયાપ્રેમીઓએ ઉગાર્યુ