બોટાદની રતનવાવ પ્રા.શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ

749

બોટાદના રતનવાવ પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. રતનવાવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં કલ્પેશભાઈ દસાડીયા, ભુપેન્દ્રભાઇ પટેલ,દશરથસિંહ ચાવડા, પ્રિતેશભાઈ ભટ્ટ સહિતના શિક્ષણગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદાય લઈ રહેલા ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ શાળાને ડિજિટલ ઘડિયાળ ભેટ આપવામાં આવી હતી તેમજ શિક્ષણગણ દ્વારા વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા દશરથસિંહ ચાવડા સહીસ શાળાના શિક્ષણગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleપાલીતાણાની સગીરા ઉપર દુષ્કર્મ કરનાર શિક્ષકને ઝડપી લેવા માંગ
Next articleવાઘણીયા ગામે ૪૩ ડિગ્રી તાપમાનમાં રોજગારી મેળવતા ગામનાં શ્રમિકો