જુમલા જ ફેંકતા રહ્યા પાંચ વર્ષની સરકારમાં, વિચારતો હતો ક્લાઉડી છે હવામાન, રડારમાં નહીં આવુઃ કોંગ્રેસ

571

લોકસભા ચૂંટણીનો હવે છેલ્લો અને સાતમો તબક્કો બાકી છે. ત્યારે નેતાઓના નિવેદનો સતત ચર્ચામાં છે. હાલમાં જ વડાપ્રધાન મોદીનું નિવેદન ઘણું ચર્ચાય રહ્યું છે, સાથે સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ થઈ રહ્યું છે. વડાપ્રધાનના આ નિવેદન પર રાજકીય પક્ષો પણ કટાક્ષ કરી રહ્યાં છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે પણ પીએમ મોદીના રડારવાળા નિવેદન પર કટાક્ષ કર્યો છે, લાલુએ ટ્‌વીટ કરી લખ્યું કે, “એ હટ બુડબક, તારું ધ્યાન ક્યાં છે, રડાર અહીં છે.”વડાપ્રધાન મોદીએ હાલમાં જ એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં તેને બાલાકોટ એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું હતું.

વડાપ્રધાનએ કહ્યું હતું કે, “એર સ્ટ્રાઈકના દિવસે હવામાન યોગ્ય ન હતું. તે દિવસે વિશેષજ્ઞોનું માનવું હતું કે સ્ટ્રાઈક બીજા દિવસે કરવામાં આવે. પરંતુ મેં તેમને સલાહ આપી કે વાસ્તવમાં વાદળા જ આપણી મદદ કરશે અને આપણાં ફાઈટર પ્લેન રડારની નજરે નહીં ચઢે.

વડાપ્રધાનના નિવેદન પર કોંગ્રેસે પણ કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસે ટ્‌વીટ કર્યુ કે, “જુમલા જ ફેંકતા રહ્યાં પાંચ વર્ષની સરકારમાં, વિચારતો હતો ક્લાઉડી છે હવામાન, રડારમાં નહીં આવું.

કોંગ્રેસ જ નહીં છૈંસ્ૈંસ્ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ વડાપ્રધાનના નિવેદન પર મજાક ઉડાવી હતી. ઔવેસી લખ્યું કે, “સર સર વડાપ્રધાન, તમે તો જોરદાર એક્સપર્ટ છો. સર તમને અનુરોધ છે કે તમારા નામમાંથી ચોકીદાર હટાવી દો અને એરચીફ માર્શલ અને પ્રધાન… ક્યું ટોનિક પીવો છો તમે.. કે તમારી વાતોમાં રોજગાર, અર્થવ્યવસ્થા, ઔધોગિક વિકાસ અને કૃષિ સંકટ સિવાય તમારી પાસે દરેક વાતનો ફોર્મ્યૂલા છે, યથાવત રાખો મિત્રો”.

 

Previous articleઆતંકીઓને મારવા જતા પહેલા જવાન ચૂંટણીપંચની પરવાનગી લેવા જશે?ઃ મોદી
Next articleછઠ્ઠા તબક્કામાં કુલ ૬૦ ટકાથી વધુ મતદાન