કેન્દ્ર સરકારના ડીઝીટલ ઇન્ડીયા અભિયાન તળે નવીદિલ્હી ખાતે ગત શુક્રવાર તા.૧૦ના ડીઝીટલ વિલેજ કાર્યશાળા યોજાયેલ. આ કાર્યશાળામાં ભાવનગર જિલ્લાનાં ઇશ્વરીયા ગામના જન સુવિધા કેન્દ્રની પસંદગી થતાં કેન્દ્ર સંચાલક ઋત્વિજ કુમાર પંડિત સાથે ગુજરાતની ટૂકડીએ ભાગ લીધો હતો.