ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરમાં મા નર્મદા રથ મહોત્સવ અન્વયે આજરોજ વોર્ડ નંબર-૮, કુંભારવાડામાં કુંભારવાડા સર્કલ ખાતેથી મા નર્મદા રથ યાત્રાનો પ્રારંભ રાજેશભાઈ રાબડીયા, કોર્પોરેટર હરેશભાઈ મકવાણા, લીલાબેન ખીજડીયા જે રથ રામજીની વાડી, મઢુલી, કુંભારવાડા સર્કલ પીપર પાસે, અવેડા પાસે, રામદેવનગર, અક્ષરપાર્ક, અન્ડરબ્રીજ, સત્યનારાયણ સોસાયટી, હાદાનગર વિસ્તારમાં સવારે ૯-૦૦ થી ૧-૦૦ કલાકે દરમ્યાન ફરેલ. આ રથયાનું જુદા-જુદા વિસ્તારોમાં ર૯પ૦ લોકોએ આ રથના કાર્યક્રમમાં જોડાયેલ. અને જુદા-જુદા વિસ્તારોમાં વેપારીઓ તથા સંસ્થાઓ, નગરજનોએ આરતી ઉતારી સ્વાગત કરેલ.