તાજેતરમાં પાણી પુરવઠા બોર્ડમાં કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, બોટાદમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતાં હરેશભાઇ છગનભાઇ ચૌહાણ વયમર્યાદાના કારણે નિવૃત થતા તેઓનો વિદાયમાન સમારોહ યોજાયેલ આ પ્રસંગે પી.બી.પટેલ, અધિક્ષક ઇજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વર્તુળ, ભાવનગરે સુકન રૂપે શ્રીફળ સાંકરનો પડો, શોલ,સ્મૃતિચિંહ એનાયત કરી કહેલ કે એચ.સી. ચોહાણએ જલસેવાને આવશ્યક સેવા ગણી સમય, સંજોગ અને પરીસ્થિતિમાં અટલ, અડોલ, અથક બની સેવા બજાવવા બદલ સન્માનીત કરેલ.
આ પ્રસંગે કે.કે.બોદર,કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ભાવનગર, એસ.આર. ઉદેનીયા કાર્યપાલક ઇજનેર, જા.આ.બાં.વિભાગ, અમરેલી તથા નાયબ કાર્યપાલક ઇજનેરે જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, ભાવનગર, વલ્લભીપુર ,તળાજા, શિહોર, ઉમરાળા ,બરવાળા, બોટાદ, પાલીતાણા, ગઢડા ના અધિકારી /કર્મચારી ઓનીવિશાળ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. એચ.સી.ચોહાણ.એ જલસેવામાં યોગદાન આપવા બદલ દરેક કર્મચારીઓ એ સન્માનીત કરવા બદલ આભાર વ્યકત કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંફળ સંચાલન એમ.બી. પાઠક નિવૃત ના.કા.ઇ.એ કરેલ હતું.