ઘણા સમયથી દામનગર શહેરની પ્રજાને સત્તાવતો રેઢીયાર ઢોરની સમસ્યાથી ગળે આી ગયેલ પ્રજા ફફડતા જીવે પસાર થાય છે.
થોડા દિવસ પુર્વે એક આખલાએ કેટલાયે લોકોને ઈજાઓ પહોંચાડી તરખાટ મચાવતા લોકોના જીવ પડીકે બંધાઈ ગયેલ પરંતુ પશ ડોકટર અને સ્વ્યંસેવકોએ આ આખલાને કાબુમાં લીધો હતો. જેનો રાજા નબળો તેની પ્રજા દુઃખી તેમ શાસકોએ પ્રજાની સુખાકારી અને સલામતી માટે ના નિર્ણયો લેવાની જરૂરી છે. રેઢીયાર ઢોરના ત્રાસથી પ્રજા ત્રાહીમામ છે ત્યારે શાસકોની લાપરવાહીથી રખડતા ભટકતા મુક પશુઓની યોગ્ય સુરક્ષા માટે પગલા ભરે તેવી વ્યાપક માંગ ઉઠી છે.