ગારીયાધાર તાલુકા નું વેળાવદર ગામ આંગણવાડી મા પોષણ સપ્તાહ નો પ્રારંભ થયો. તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી કનુભાઈ સાંડસુર અને અગ્રણી શ્રી તખુભાઈ સાંડસુરે દિપ પ્રજવલન કરી બાળકોને સમતોલ આહાર આપવા પર વિશેષ ભાર આપ્યો. ગુજરાતમાં કુપોષણ નો સવાલ નથી પરંતુ તેમ છતાં શીશુ સ્વાસ્થ્ય માટે સતત જાગૃત રહેવાની આવશ્યકતા વ્યક્ત કરી. આ કાર્યક્રમ અબાશંકર ભાઈ ધાંધિયા હાજર રહ્યાં હતા. આંગણવાડી કાર્યકર શ્રીમતી ગીતાબેન મહેતાએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.