ભાવનગર શહેરમાં આવેલ સરદારનગર ગુરુકુળ ખાતે રાષ્ટ્ભકિત ની થીમ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ભારતના ૭૧માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે ૨૬ જાન્યુઆરીએ સમગ્ર ભાવનગર જિલ્લામાં રાષ્ટ્ભકિત માહોલ જાવા મળ્યો હતો. શહેરમાં વિવિધ સંગઠનો, સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમો ઉપરાંત ડી.જે.ના તાલ સાથે બાઇક રેલી અને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ઘોઘાગેઇટ ચોક ખાતેથી સો ફૂટ ઉપરાંતના તિરંગા સાથેની ભવ્ય યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં યુવકો જાડાયા હતા. ઘોઘાગેઇટ ચોક ખાતે શહિદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી. આ ઉપરાંત શહેરમાં ઘોઘાગેઇટ ચોક સહિત વિવિધ વિસ્તારોમાં વહેંચાતા તિરંગાની લોકોએ ખરીદી કરી હતી.૭૧માં પ્રજાસત્તાક પર્વની સરદારનગર ગુરુકુળ ખાતે રાષ્ટ્ભકિતની થીમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.