શહેરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ૨ દિવસ બાદ ફરી અવરફલો થયો

119

રાત્રે ૧૦ દરવાજા ખોલાયા બાદ વહેલી સવારે તમામ ૫૯ દરવાજાઓ ૧ ફૂટ ખોલવામાં આવ્યાં
સમગ્ર સૌરાષ્ટ્ર માં વરસાદ અકબંધ રહેતાં ભાવનગરની જીવાદોરી એવાં શેત્રુંજી ડેમ બે દિવસ બાદ ફરી છલકાતાં તંત્રને ડેમના તમામ દરવાજાઓ ખોલવાની ફરજ પડી હતી વધારાનું પાણી ડેમના દરવાજા તથા ડાબા-જમણા કાંઠાની બંને કેનાલો વાટે વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. અપર સરક્યુલેશન ના કારણે સમગ્ર રાજ્ય માં છેલ્લા પાંચ દિવસ થી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે અને આજદિન સુધી દુષ્કાળ જેવી સ્થિતિ નો સામનો કરી રહેલ સૌરાષ્ટ્ર ના રાજકોટ, જામનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં માત્ર બે જ દિવસ વરસેલ ધોધમાર વરસાદ ને પગલે ગણતરીના કલાકોમાં અછત નું ચિત્ર બદલીને જળબંબાકાર જેવી પરિસ્થિતિ નું નિર્માણ કર્યું છે ત્યારે આ વરસાદી પાણી જળાશયો અને નદી વાટે દરિયામાં ઠલવાઇ રહ્યાં જેમાં જુનાગઢ તથા અમરેલી જિલ્લામાં પડી રહેલ અવિરત વરસાદ ને પગલે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. આ વિરાટ જળરાશી પાલિતાણા ના શેત્રુંજી ડેમમાં આવતા માત્ર બે જ દિવસનાં અંતે ડેમ ફરી એકવાર અવરફલો થતાં તંત્ર દ્વારા સોમવારે રાત્રે દસ કલાકે ૧૦દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યાં હતાં પરંતુ પાણીનો ફલો અવિરત વધતો જતો હોય આથી મંગળવારે સવારે ૫ કલાકે ડેમના તમામ ૫૯ દરવાજાઓ એક ફૂટ ખોલવામાં આવ્યાં હતાં આ સિવાય ડાબા તથા જમણા કાંઠાની કેનાલોમા પણ પાણી છોડવામાં આવી રહ્યું છે.

Previous articleગુજરાતમાં મેઘારાજની મહેર, સૌરાષ્ટ્રમાં જળબંબાકાર
Next articleથોરાળી ગામે તળાવમાં ડૂબેલા બીજા વનકર્મીની પણ લાશ મળી