શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના પ્રસંગે સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ માં આગામી તા 27-5-22ને સુક્રવારે “ખીમદાસ બાપુ” એવોર્ડ સમારંભનુ આયોજન જગ્યા ના ગાદીપતિ પ. પુ. મહંતશ્રી ભરતબાપુ તથા ગોંડલ રાજવી પરીવારના કુમાર સાહેબ જયોર્તીમયસીંહજી ઓફ હવામહેલ ગોડલ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી રહ્યું છે. સતત રોટલો અને ઓટલો આપતી વર્ષો જુની દેહાણની આ જગ્યામાં જયા ટુકડો ત્યાં હરી ઢુંકડોની સાથે સાથે દર વર્ષે વિશીષ્ટ રીતે સમાજ ને ઉપયોગી થનાર બહુમુખી પ્રતીભા ધરાવનાર વિશીષ્ટ વ્યક્તિઓ ને “ખીમદાસ બાપુ” એવોર્ડ સમીતી દ્વારા એમના જગ્યામાં ઓવારણા લઈને આશીર્વાદ આપવામાં આવે છે. 2022 નો આ વખત નો “ખીમદાસબાપુ” એવોર્ડ મહેસુલ વિભાગમાં ગોંડલ મામલતદાર શ્રી કાનજીભાઇ વી. નકુમ સાહેબ ને, શિક્ષણ વિભાગમાં સરસ્વતી શીશુ મંદિર ગોંડલ ને, ભજન સંતવાણી વિભાગ માં સાગર મેસવાણીયા જેતપુર, સંગીત કલા વિભાગમાં, ઉસ્તાદ ભરત સોલંકી, ઔધોગિક વિભાગમાં ઉધોગ લખમણભાઇ પટેલ ગોલ્ડન સીટી ડેકોરગૃપ, સ્વાસ્થ્ય વિભાગમાં, ડો. પીયુષ સુખવાલા સાહેબ ને, કારકિર્દી માર્ગદર્શન વિભાગ માં હનુમંત એકેડેમી રાજકોટ ને, સામજીક સેવા વિભાગ મા,પ્રતીપાલસીંહજી જાડજાને તેમજ વિચરિત વિમુકત જાતી ના અભ્યાગતો ની સેવા કરનાર દેવરાજ રાઠોડ વિરપુર ને આ એવોર્ડ અર્પણ થવા જય રહ્યો છે. સાધુ સંતો ના સંપ્રદાયોમાં વણ લિખિત એવી માન્યતા હોય છે કે સિધ્ધ ક્ષેત્રમાં ઓછામાં ઓછું બાર વર્ષ રહેવું. આવા સિધ્ધ ક્ષેત્રોમાં હિમાલયમાં જ્ઞાન ગંજ,નર્મદા કિનારો,વિંધ્યાચલ, ગિરનાર,આબુ વગેરેનો સમાવેશ થાય છે.આ ક્ષેત્રોમાં સાધકને ઝડપથી સિધ્ધિ પ્રાપ્ત થાય છે.સૂક્ષ્મ દેહે વિહરતા સિધ્ધો પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત થાય છે.ગિરનાર ક્ષેત્રમાં કે અન્ય સિધ્ધ ક્ષેત્રમાં બાર વર્ષ રહેવું એને સાધુશાહી ભાષામાં જોગ કમાવવો કહે છે. તેવીજ રીતે દરેક ક્ષેત્રમાં શાક્ષી ભાવે જો યોગ્ય જવાબદારી પૂર્ણ નીષ્ઠા સાથે નીભાવવામાં આવે ત્યારે એ તપના ફળ સ્વરૂપે વ્યક્તિ નુ બહુમાન થતું હોય છે. કબીર સાહેબે કમાલને કહ્યુ હતુ. બે વાત મારી તુ ધ્યાન થી સાંભળી લેજે કંઈ દેવુ હોય તો ભુખ્યા ને રોટલો આપજે અને લેવુ હોય તો હરીનુ નામ લેજે… સૌરાષ્ટ્ર કચ્છ ની દેહાણ ની જગ્યા ના સંતો એ હાલતુ ચાલતુ તીરથ છે જેમના દર્શન થકી ભવોભવના પાપો નો નાશ થાય છે એમનો ખોળો માતા ની ગોદ જેવો હોય છે એમના ચરણોમાં આળોટવા નુ ભાગ્ય નશીબદાર વ્યક્તિઓને જ મળતુ હોય છે. “ખીમદાસ બાપુ” એવોર્ડ સમીતી ના સભ્યો સાથે સંકલન ની જવાબદારી સંભાળી આ ક્રાયક્રમ ને સફળ બનાવવા માટે પુ. અલ્પેશબાપુ મોવિયાધામ વડવાળી જગ્યા, તેમજ એશીયાટીક કોલેજના ચેરમેન શ્રી ગોપાલભાઇ ભુવા માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે તથા અશોકભાઇ શેખડા, મનીષભાઇ જોષી સર્કલ ઓફીસર, રવીભાઇ ખુંટ, જીજ્ઞેષભાઇ ખુંટ, ધીરુભાઇ ધડુક ભાવેશબાપુ, પ્રવીણબાપુ, ભુપતભાઇ કોરી, આશિષ અદા ચંદુભાઇ હીરાણી, સંજયભાઇ ભાલાળા અરવિંદ ખુંટ જહેમત ઉઠાવી રહ્યા છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..