આગામી દિવસોમાં યોજાનાર રથયાત્રા સંદર્ભે રથયાત્રા કમિટી ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે. પરંતુ ભાવનગર મહાપાલિકાના વેટરનરી વિભાગને હજુ સુધી આળસ ઉડી હોય તેવું જણાતું નથી આમ તો કાયમી ધોરણે શહેરમાં રેઢીયાર પશુનો ત્રાસ યાથવત સહેજ છે. પરંતુ રથયાત્રા જેવા પ્રસંગે પણ તંત્રએ કોઈ કામગીરી કરી નથી હાલ રથયાત્રાના રૂટ પર ઠેક-ઠેકાણે રખડતા પશુ ઉપરાંત ગદર્ભ (ગધેડ)નો અસહ્ય ત્રાસ લોકો માટે શિરદર્દ સમી સમસ્યા બની રહે છે.