સિહોરના ઐતિહાસિક કહેવાતા દરબારગઢ વીસ્તાર કે જયાં એક સમયે કોર્ટ કચેરી હતી આ જગ્યા ભાવનગર મહારાજાની છે તે દરબાર ગઢની બાજુની જગ્યા કે જે મકાનમાં કોર્ટ હતી તે મકાન મોડી રાત્રીના ભારે વરસાદના પગલે ધરાશાયી થયેલ. આ જગ્યા ખાલી પડેલી હોવાના કારણે અંદર પશુ બેસતા હોય મકાન પડતા રસ્તો બંધ થઈ ગયેલ. જેની સિહોર ન.પા. પ્રમુખને જાણ કરાતા તુરંત કામગીરી હાથ ધરી રસ્તો ખુલ્લો કરાવાયો હતો.