ખાંભાના બોરાળા ગામે ગૌશાળાના લાભાર્થે શુક્રવારે ભવ્ય લોક ડાયરાનું આયોજન થશે

950
guj25102017-3.jpg

રાજુલાના યુવાન એવા અમરીશભાઈ ડેર દ્વારા વધુ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાતા સમગ્ર પંથકની ધર્મ પ્રેમી જનતામાં ખુશીનો માહોલ છવાયો છે. રાજુલાના સાવરકુંડલા રોડ પર આવેલ પુજા બાપુ ગૌશાળામાં બહોળી સંખ્યામાં નિરાધાર ગૌમાતાઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. અને અહીં અનેક દાતાઓના સહયોગથી ભવ્ય ગૌશાળા બનાવવામાં આવી રહી છે. ત્યારે રાજુલાના સામાજીક કાર્યકર અમરીશભાઈ ડેર દ્વારા આગામી તા. ર૭-૧૦-ર૦૧૭ને શુક્રવારના રોજ હનુમાન ગાળામાં બિરાજતા હનુમાનજી મહારાજને થાળ ધરવાનો (પ્રસાદ) અને રાત્રીના ૭ થી ૧૦ વાગ્યા સુધી હનુમાન ગાળા બોરાળા ગામના બસ સ્ટેન્ડ પાસે ભવ્ય લોકડાયરો યોજાશે જેમાં માયાભાઈ આહિર અને કિર્તીદાન રમઝટ બોલાવશે અને દાનમાં આવેલ તમામ રકમ પુજાબાપુ ગૌશાળાના કાર્યોમાં વપરાશે. 

Previous article ગરીબોને કપડા, મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરીને દિવાળીની ઉજવણી કરી
Next article દામનગરના ઠાંસા ગામે ભાગવત કથાનો પ્રારંભ