ગોવામાં પારિકર કેબિનેટમાંથી બે મંત્રીઓને હટાવાયા

926

ગોવામાં મુખ્યમંત્રી મનોહર પારિકર કેબિનેટમાંથી બે મંત્રીઓને હટાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ઓફિસે સોમવારે આ વાતની જાણકારી આપી છે. મંત્રીમંડળમાંથી હટાવવામાં આવેલા બંને મંત્રીઓ સત્તાપક્ષ ભાજપના છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્રાન્સિસ ડિસૂઝા અને પાંડુરંગ મડકઈકર છેલ્લા કેટલાક સમયથી બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે.

ડિસૂઝાની સારવાર હાલ અમેરિકામાં ચાલી રહી છે. જ્યારે મડમઈકર જેમને જૂનમાં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, તેમની પણ મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ગોવામાં ભાજપ સરકારની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. રાજ્યના મુખ્યમંત્રી પારિકર પહેલાથી જ બીમાર છે અને લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ છે. બીજી તરફ, બે મંત્રીઓ બીમાર થઈ જવાના કારણે વિપક્ષને સવાલ ઉઠાવવાની તક મળી ગઈ છે. પારિકરની ગેરહાજરીમાં કોંગ્રેસ માંગ કરી રહ્યું છે કે બરખાસ્ત કરી દેવી જોઈએ. ગોવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ગિરિશ ચોદાનકરે આ બે મંત્રીઓને હટાવવા મામલે જણાવ્યું કે, જો તે લોકો તેમના મંત્રીઓને આરોગ્યના કારણોસર હટાવી રહ્યા છે તો આ હાસ્યાસ્પદ બાબત છે, આ દંભ છે. જ્યારે સીએમ પોતે જ બીમાર છે, જેમની હાલત આ બંને મંત્રીઓ કરતા પણ ખરાબ છે, ત્યારે મંત્રીઓને કાઢી મૂકવામાં આવ્યા અને સીએમ પોતાના પદ પર હજુ પણ કાયમ છે.

Previous articleરાફેલ ડિલમાં દસ્તાવેજોને સીઝ કરવા કોંગ્રેસની માંગ
Next articleજમ્મુ કાશ્મીરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ત્રાસવાદી ફુંકાયા