અયોધ્યામાં મસ્જિદ બને : ભાજપ નેતા નવાબના નિવેદનથી વિવાદ

819

અયોધ્યામાં રામમંદિર બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ દરમિયાન અયોધ્યામાં વિવાદિત સ્થળે મસ્જિદ નિર્માણની વાત કરીને ભાજપના એમએલસી બુક્કલ નવાબે નવો વિવાદ પેદા કરી દીધો છે. પાટનગર લખનૌમાં અલ્પસંખ્યક મોરચાના એક કાર્યક્રમ દરમિયાન બુક્કલ નવાબે આ વિવાદન નિવેદન કરતાં કાર્યક્રમમાં હંગામો પેદા થઈ ગયો હતો. જેના કારણે નારાજ કાર્યકર્તાઓએ ભાજપના એમએલસી તરત મંચ પર હટાવી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ આખા હંગામા દરમિયાન કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી પણ ઘટનાસ્થળે હાજર હતા. આ કાર્યક્રમમાં નકવીએ મોદી સરકારની યોજનાના વખાણ કર્યા હતા.

આ તરફ, બુક્કલ નવાબે હવે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, મારી વાત લોકો સમજી શક્યા નહીં અને કારણ વગર મુદ્દો બનાવી દીધો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ કાર્યક્રમમાં મંચ પરથી નવાબે અયોધ્યામાં વિવાદિત સ્થળની વાત શરુ કરી અને અચાનક ત્યાં મસ્જિદ બનાવવાની તરફેણ કરવા માંડ્યા. આને કારણે ભાજપના કાર્યકરોએ બુક્કલ નવાબ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

Previous articleપશ્ચિમ બંગાળમાં કૉલેજ-યુનિ.ઓમાં સરદાર પટેલ જ્યંતિ નહિ ઊજવાય..!!
Next articleદેશમાં વડાપ્રધાનથી આગળ સરકારનુ કોઈ અસ્તિત્વ જ નથી : અરુણ શૌરી