ડો. નિર્મળભાઈ વકીલનું ગુજ. ડેન્ટલ એસો. દ્વારા લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માન

550

શિશુવિહાર સંસ્થાના માનવસેવા પ્રવૃત્તિઓનું ૩૦ વર્ષથી પ્રમુખ સ્થાને નેતૃત્વ કરતા ભાવનગરના તબીબ ડો. નિર્મળભાઈ વકીલનું લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.

વર્ષ ૧૯પ૭માં મુંબઈથી ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અનુસ્નાતક પદવી મેળવી ભાવનગરમાં એકમાત્ર કવોલિફાઈડ ડેન્ટીસ્ટ તરીકે સેવાર્થી બેનલ ડો. નિર્મળભાઈએ ભાવનગર રેલ્વે હોસ્પિટલમાં ર૪ વર્ષ, સિવિલ હોસ્પિટલમાં ૩૩ વર્ષ, ઈ.એસ.આઈ.સી.માં ૩૦ વર્ષ, ડેન્ટીસ્ટ તરીકે દાંતના રોગોની સારવાર આપી ગરીબો પ્રત્યે અપ્રતિમ માનવીય અભિગમ દાખવ્યો છે.

ડોકટરોએ વ્યવસાઈરૂપ પકડયું છે. તેવા સમયે સેવાની જયોત સમાન ડો. નિર્મળભાઈ પોતાના પિતા ન્યાલચંદ વકીલની સ્મૃતિમાં છેલ્લા ર૮ વર્ષથી સ્વસ્થ વૃદ્ધત્વ સન્માન યોજી ભાવનગરથી કલા, સાહિત્ય, શિક્ષણ અને ઉદ્યમ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા વડિલોની વંદના કરે છે. આ ઉપરાંત ભાવનગરથી દેહદાન, ચક્ષુદાન અને રકતદાનની સેવા પ્રવૃત્તિને સમગ્ર દેશમાં ગૌરવ અપાવનાર લોકસેવક માનભાઈ સાથે ખભે-ખભો મીલાવી ભાવનગર રેડક્રોસના સ્થાપક અને પ૪ વર્ષ સુધી માનદમંત્રી તરીકે સેવા આપનાર ડો. નિર્મળભાઈનું લાઈફટ ટાઈમ એવોર્ડથી સન્માન શિશુવીહારની સામાજિક સેવાનો વધુ સ્વીકાર બને છે.

 

Previous articleધંધુકા કોલેજમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું
Next articleપગથારે અને સથવારે